‘કૃષિ સુધાર બિલ ૨૦૨૦’માં માત્રને માત્ર ખેડૂતોના હિતોનું જ ધ્યાન રાખવામાં આવ્યું છે: સી.આર.પાટીલ

આજરોજ ભાજપાના પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ‘કૃષિ સુધાર વિધેયક ૨૦૨૦’ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના કરોડો ખેડૂતોના હિતમાં, ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો કરવા, ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં લેવાયેલું એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પગલું છે. આ કૃષિ સુધારાઓના કારણે ખેડૂતોને આગામી સમયમાં અનેક લાભો થવા જઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ દેશના કરોડો ખેડૂતો માટે લાભકારી એવા આ વિધેયકને આવકારવાના સ્થાને બેબાકળી બની ફક્ત અને ફક્ત પોતાનો રાજકીય સ્વાર્થ સાધવા માટે વિવિધ પ્રકારની ગેરસમજો ઊભી કરી ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું હીન કૃત્ય કરી રહી છે.

શ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ‘કૃષિ સુધાર બિલ ૨૦૨૦’માં માત્રને માત્ર ખેડૂતોના હિતોનું જ ધ્યાન રાખવામાં આવ્યું છે, ખેડૂતોને નુકશાન થાય તે પ્રકારની કોઈ બાબત તેમાં ઉમેરવામાં આવી નથી. ખેડૂતોના પાકની ટેકાના ભાવ(MSP)થી થતી ખરીદ વ્યવસ્થા યથાવત છે અને રહેશે પરંતુ આ બાબતે કોંગ્રેસ જૂઠ્ઠાણા ફેલાવી ખેડૂતોને ઉશ્કેરવાનું કાર્ય કરી રહી છે. વર્ષો સુધી સત્તામાં રહ્યા બાદ પણ ખેડૂતોની સમૃદ્ધિ માટે કાંઈ ઠોસ કાર્ય ન કરનારી કોંગ્રેસના ખેડૂતવીરોધી વલણને ખેડૂતો ક્યારેય માફ નહી કરે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિવિધ પેદાશોના ટેકાના ભાવમાં વધારો કરીને ખેડૂતોને લાભ આપવાનું કાર્ય કર્યું છે.

શ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આ કૃષિ સુધાર બિલના માધ્યમથી ખેડૂતોના વિકાસમાં આવતા અંતરાયોને દૂર કરવામાં આવ્યા છે. હવે દેશનો ખેડૂત સ્થાનિક APMC જ નહીં પરંતુ દેશના કોઈપણ ખૂણે પોતાની પેદાશનું વેચાણ કરી શકશે. વેપારીઓમાં પણ હવે તંદુરસ્ત હરીફાઈ થવાના કારણે ખેડૂતને પોતાની પેદાશનો યોગ્ય ભાવ મળી રહેશે.વેપારીઓએ ઉપજની ખરીદી બાદ ખેડૂતોને ત્રણ દિવસમાં જ પેમેન્ટ કરી દેવું પડશે તેવી જોગવાઈ પણ કૃષિ સુધાર બિલ ૨૦૨૦માં કરાઈ છે જેનો સીધો જ લાભ દેશના કરોડો ખેડૂતોને થશે.

શ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ૨૦૧૪માં પ્રધાનમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતાની સાથે જ શ્રી નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની કેન્દ્રની ભાજપા સરકાર માટે ગામડું, ગરીબ અને ખેડૂત હંમેશા પ્રાથમિકતા રહી છે. દેશમાં યુવાનો, મહિલાઓના ઉત્કર્ષ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં લાવીને આગળ વધવાની તક પુરી પાડી છે. PM કિસાન યોજના હેઠળ ૯૨ હજાર કરોડ રૂપિયા ડિબિટીના માધ્યમથી સીધા ખેડુતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી, પારદર્શીની નેતૃત્વમાં વચેટીયાઓનો અંત આવ્યો છે, ખેડૂતોને મળવાપાત્ર સહાય ડિબિટીના માધ્યમથી સંપૂર્ણ માત્રામાં તેમને સીધી મળતી થઈ છે. ‘સ્વામીનાથન આયોગ’ના સુચનોને ધ્યાનમાં રાખી તેમજ તેમાં અન્ય ખેડૂતહિતની જોગવાઈઓનો ઉમેરો કરીને કૃષિ સુધાર વિધેયકને લાવવામાં આવ્યું છે જેનાથી દેશના ખેડૂતોને અનેક ફાયદા થવાના છે અને તેની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે.

શ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકારના સમયમાં વર્ષ ૨૦૦૯-૧૦માં દેશનું કૃષિ બજેટ ૧૨ હજાર કરોડ રૂપિયા હતું જે આજે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૧ લાખ ૩૪ હજાર કરોડ રૂપિયા છે. વર્ષો સુધી કોંગ્રેસ દ્વારા દેશના ખેડૂતોનું શોષણ કરવામાં આવ્યું છે, આજે કોંગ્રેસ પોતાના અંગત સ્વાર્થ ખાતર દેશના કરોડો ખેડૂતો માટે આશીર્વાદરૂપ કૃષિ સુધાર બિલ અંગે ભ્રામક પ્રચાર કરી રહી છે, પણ દેશનો ખેડૂત શાણો અને સમજુ છે,પોતાનું હિત-આહિત શેમાં છે તે સુપેરે જાણે છે.

સી.આર.પાટીલ:

‘કૃષિ સુધાર વિધેયક ૨૦૨૦’ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના કરોડો ખેડૂતોના હિતમાં, ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો કરવા, ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં લેવાયેલું એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પગલું છે.

———————–
કોંગ્રેસ દેશના કરોડો ખેડૂતો માટે લાભકારી એવા કૃષિ સુધાર વિધેયકને આવકારવાના સ્થાને બેબાકળી બની ફક્ત અને ફક્ત પોતાનો રાજકીય સ્વાર્થ સાધવા માટે વિવિધ પ્રકારની ગેરસમજો ઊભી કરી ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું હીન કૃત્ય કરી રહી છે.
————————
‘કૃષિ સુધાર બિલ ૨૦૨૦’માં માત્રને માત્ર ખેડૂતોના હિતોનું જ ધ્યાન રાખવામાં આવ્યું છે, ખેડૂતોને નુકશાન થાય તે પ્રકારની કોઈ બાબત તેમાં ઉમેરવામાં આવી નથી.

————————
ખેડૂતોના પાકની ટેકાના ભાવ(MSP)થી થતી ખરીદ વ્યવસ્થા યથાવત છે અને રહેશે પરંતુ આ બાબતે કોંગ્રેસ જૂઠ્ઠાણા ફેલાવી ખેડૂતોને ઉશ્કેરવાનું કાર્ય કરી રહી છે.

————————-
વર્ષો સુધી સત્તામાં રહ્યા બાદ પણ ખેડૂતોની સમૃદ્ધિ માટે કાંઈ ઠોસ કાર્ય ન કરનારી કોંગ્રેસના ખેડૂતવીરોધી વલણને ખેડૂતો ક્યારેય માફ નહી કરે.

————————
કૃષિ સુધાર બિલના માધ્યમથી ખેડૂતોના વિકાસમાં આવતા અંતરાયોને દૂર કરવામાં આવ્યા છે. હવે દેશનો ખેડૂત સ્થાનિક APMC જ નહીં પરંતુ દેશના કોઈપણ ખૂણે પોતાની પેદાશનું વેચાણ કરી શકશે, વેપારીઓ વચ્ચે તંદુરસ્ત હરીફાઈ થવાના કારણે ખેડૂતને પોતાની પેદાશનો યોગ્ય ભાવ મળશે.

———————-
વેપારીઓએ ઉપજની ખરીદી બાદ ખેડૂતોને ત્રણ દિવસમાં જ પેમેન્ટ કરી દેવું પડશે તેવી જોગવાઈ પણ ‘કૃષિ સુધાર બિલ ૨૦૨૦’માં કરાઈ છે જેનો સીધો જ લાભ દેશના કરોડો ખેડૂતોને થશે.

————————
૨૦૧૪માં પ્રધાનમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતાની સાથે જ શ્રી નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની કેન્દ્રની ભાજપા સરકાર માટે ગામડું, ગરીબ અને ખેડૂત હંમેશા પ્રાથમિકતા રહી છે.

————————-
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી, પારદર્શીની નેતૃત્વમાં વચેટીયાઓનો અંત આવ્યો છે, ખેડૂતોને મળવાપાત્ર સહાય ડિબિટીના માધ્યમથી સંપૂર્ણ માત્રામાં તેમને સીધી મળતી થઈ છે.

—————————
‘સ્વામીનાથન આયોગ’ના સુચનોને ધ્યાનમાં રાખી તેમજ તેમાં અન્ય ખેડૂતહિતની જોગવાઈઓનો ઉમેરો કરીને કૃષિ સુધાર વિધેયકને લાવવામાં આવ્યું છે જેનાથી દેશના ખેડૂતોને અનેક ફાયદા થવાના છે અને તેની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે.

—————————-
વર્ષો સુધી કોંગ્રેસ દ્વારા દેશના ખેડૂતોનું શોષણ કરવામાં આવ્યું છે, આજે કોંગ્રેસ પોતાના અંગત સ્વાર્થ ખાતર દેશના કરોડો ખેડૂતો માટે આશીર્વાદરૂપ કૃષિ સુધાર બિલ અંગે ભ્રામક પ્રચાર કરી રહી છે, પણ દેશનો ખેડૂત શાણો અને સમજુ છે,પોતાનું હિત-આહિત શેમાં છે તે સુપેરે જાણે છે.