પાવાગઢ મંદિરના ગર્ભગૃહ પર દરગાહ હતી, સદીઓ પછી હવે નરેન્દ્રભાઇ મોદીના હસ્તે નવનિર્મત શિખર પર માતાજીનો ધ્વજ ફરકશે

પાવાગઢ:
અહીંના સુવિખ્યાત મહાકાળીના મંદિરના ગર્ભગૃહ પર દરગાહ હતી. શતાબ્દીઓ પછી માતાજીના ઉપાસક અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદી હવે નવનિર્મિત શિખરના સ્વર્ણ ધ્વજદંડ પર ધજા ફરકાવશે. 500 વર્ષ પહેલા મહમૂદ બેગડાએ પાવાગઢના મહાકાળી મંદિરનું શીખર અને ધ્વજા ધ્વસ્ત કરી હતી. હવે સ્વર્ણિમ ધ્વજદંડ પર નરેન્દ્રભાઇ મોદી તેમની ઐતિહાસિક મુલાકાત દરમિયાન હિંદુ શૈલીથી બનેલા મંદિરના શિખરે ધર્મ ધજા ફરકાવશે.