એક બાજુ દિલ્હીમાં શિક્ષણમાં ગોટાળા, બીજી બાજુ AAP નો જાહેરાતોનો મારો
July 29, 2022
By Himanshu Jain
અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની AAP એવી જગ્યાઓ પર ચૂંટણી જીતી રહી છે જ્યાં કોંગ્રેસની સરકારો ભ્રષ્ટાચારથી સંપૂર્ણપણે બદનામ થઈ ગઈ છે અને મતદારો (દિલ્હી અને પંજાબ) દ્વારા સત્તા પરથી ફેંકાઈ ગઈ છે.
હું ઘણી મુસાફરી કરું છું. મોટાભાગના શહેરોના લોકો દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના એજ્યુકેશન મોડલ અને તેમની પ્રભાવશાળી જીતથી ખૂબ જ પ્રભાવિત છે. તેમનું એજ્યુકેશન મોડલ પસંદ કરવામાં આવે છે અને લોકો ઉત્સાહપૂર્વક તેના વિશે બોલે છે. હું દિલ્હીવાસી હોવાના નાતે હંમેશા પ્રયત્ન કરું છું અને તેમને કહું છું કે લગભગ 20-22 શાળાઓમાં જ કોસ્મેટિક ફેરફારો કરવામાં આવ્યા છે પરંતુ લોકોને વિશ્વાસ નથી આવતો.
તેમના ‘હેપ્પીનેસ ક્લાસ’ અને તેમની ‘પેરેન્ટ ટીચર મીટિંગ્સ’ની સાથે કેટલાક સ્વિમિંગ પૂલ્સ વિશે ખૂબ ચર્ચા કરવામાં આવે છે જે તેમણે જાહેરાતોમાં અને સોશિયલ મીડિયા પર જોયા હોય તેવું લાગે છે. કેજરીવાલના વિશ્વસ્તરીય શિક્ષણના દાવા અને ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં શિફ્ટ થતા બાળકો જેવી વાતોએ કેજરીવાલના દાવાઓથી મંત્રમુગ્ધ થયેલા આ લોકો માટે ઘણું સારું કર્યું છે .
પરંતુ કેજરીવાલ માત્ર ત્યાં જ ચૂંટણી જ જીતી રહ્યા છે જ્યાં કોંગ્રેસ ભ્રષ્ટાચાર દ્વારા સંપૂર્ણપણે બદનામ થઈ ગઈ છે અને મતદારો (દિલ્હી, પંજાબ) દ્વારા બહાર ફેંકાઈ ગઈ છે.
AAP કાળજીપૂર્વક તૈયાર કરેલી જાહેરાતો અને સોશિયલ મીડિયા ઝુંબેશ સાથે કોંગ્રેસની નિષ્ફળતાના મિશ્રણનો ઉપયોગ કરી રહી છે. જે લોકો ફક્ત હેડલાઇન્સ વાંચે છે અથવા સોશિયલ મીડિયા અથવા સતત જાહેરાતો જૂએ છે તેઓ ઝીણી વિગતોમાં જવાની આદત ધરાવતા નથી. આ કામ મીડિયાનું હોવાનું માનવામાં આવે છે, જે હવે AAP તરફ પક્ષપાતી છે કારણ કે મોટા ભંડોળો સામેલ છે.
મીડિયા પરના આ અતિશય ખર્ચે AAPને અન્ય ઘણી રીતે મદદ કરી છે કારણ કે તેને બીજી રીતે જોવા માટે ઘણી બધી જાહેરાતો મળે છે.
કર્ણાટક, ગોવા, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં, જ્યાં તેનો #BJP સાથે સીધો મુકાબલો હતો તે કશું જ કરી શક્યું નથી.
મારું અનુમાન છે કે ગુજરાતમાં આ વિધાનસભા ચૂંટણી AAPને નકારી કાઢવાની છે અને હું આ એટલા માટે કહું છું કારણ કે હું ગુજરાતના લોકોને ઓળખું છું. ગુજરાતમાં વિશ્વસનિયતા અન્ય તમામ બાબતો કરતાં વધુ મહત્ત્વની છે. ગુજરાતના લોકો જુઠ્ઠાણા અને ઊંચા દાવાઓના રાજકારણને નકારી કાઢે છે. વાસ્તવવાદી બનવું એ ગુજરાતનો સ્વભાવ છે.
જાહેરાતો પરના ખર્ચના કેટલાક ચોંકાવનારા આંકડા તમને માટે જોવા માટે આપ્યા છે. કેટલાક RTI કાર્યકર્તાને આ જવાબો મળ્યા હતા.
ટ્વિટર યુઝર આલોક ભટ્ટ દ્વારા અપલોડ કરવામાં આવેલા આરટીઆઈના જવાબમાં જાણવા મળ્યું છે કે AAP સરકાર દ્વારા જાન્યુઆરી 2021માં જાહેરાતો પર 32.52 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, ફેબ્રુઆરી 2021માં 25.33 કરોડ રૂપિયા અને માર્ચ 2021માં જંગી 92.48 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. કોરોનાવાયરસની બીજી લહેર વચ્ચે જ્યારે રાષ્ટ્રીય રાજધાનીમાં આરોગ્ય માળખાકીય સુવિધાઓ ભાંગી પડવા લાગી હતી ત્યારે આ દૈનિક સરેરાશ રૂ.1.67 કરોડનો ખર્ચ હતો.
“પંજાબમાં સત્તામાં આવ્યા પછી તરત જ રાજ્યમાં આદમી પાર્ટી (AAP) સરકારે ન્યૂઝ ચેનલો, રેડિયો અને અખબારોમાં જાહેરાતો પાછળ રૂ. 37.36 કરોડનો ખર્ચ કર્યો હતો,” એમ પંજાબ સ્થિત એક સામાજિક કાર્યકર્તા દ્વારા પ્રાપ્ત માહિતી અધિકાર (RTI)ના જવાબ પરથી જાણવા મળે છે.
છેલ્લાં સાત વર્ષમાં દિલ્હી સરકારના માહિતી અને પ્રચાર વિભાગે જાહેરાતો પર રૂ. 997 કરોડ ખર્ચ્યા હોવાનું દર્શાવે છે.
હવે હું ‘કેજરીવાલ એજ્યુકેશન મોડલ’ને એક એક કરીને ઉઘાડું કરવાનો પ્રયાસ કરીશ અને કેટલાક મૂળભૂત આંકડાઓ ટેબલ પર લાવીશ જે મેં રાષ્ટ્રીય અખબારોમાંથી અથવા અનેક NGO અને સરકારી ડેશબોર્ડ્સના લેખોમાંથી લીધા છે.
દિલ્હીના વિપક્ષી નેતા, રામ વીર બિધુરીએ નીતિ આયોગના ડેટાનો ઉપયોગ કર્યો, જે દિલ્હી વિધાનસભામાં રેકોર્ડ પર છે
તે વ્યાપકપણે જાણીતું છે કે દિલ્હીના બજેટના 25% એટલે કે લગભગ 16,000 કરોડ શિક્ષણ માટે ફાળવવામાં આવે છે. હવે તમને નવાઈ નહીં લાગે કે શિક્ષકોને વેતન મળતું નથી અને તેઓને રસ્તાઓ પર પ્રદર્શન કરવા અને ભારતની સર્વોચ્ચ અદાલતમાં જવાની ફરજ પાડવામાં આવે છે.
જો ગુરુ ખુશ ન હોય તો વિદ્યાર્થીઓનું પ્રદર્શન શ્રેષ્ઠ કેવી રીતે થઈ શકે અને ડેટા આને સમર્થન આપે છે. તો ચાલો ડેટા જોઈએ.
2019-2020 (UDISE)ના પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ મુજબ, દિલ્હી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ કરતી સૂચિમાં ટોચના 5માં પણ નથી. સમગ્ર યાદીમાં દિલ્હીનું સ્થાન છઠ્ઠું છે. લર્નિંગ પરિણામોના ક્ષેત્રમાં પ્રદર્શનની દ્રષ્ટિએ દિલ્હી 32મા સ્થાને છે.
લર્નિંગ પરિણામ ડોમેનમાં દિલ્હીનો સ્કોર 124 છે જ્યારે ઉત્તર પ્રદેશને 132 માર્ક્સ મળ્યા છે. આનાથી આપણને ખ્યાલ આવે છે કે તુલનાત્મક રીતે ઓછી ઇક્વિટી અને ઍક્સેસ સાથે, એટલું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવા છતાં, યુપીની શાળાઓમાં વિદ્યાર્થીઓ દિલ્હીની શાળા કરતાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યા છે.
બીજું, બિધુરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દિલ્હી સરકાર દ્વારા જેમને ભંડોળ પૂરું પાડવામાં આવે છે તેવી દિલ્હી યુનિવર્સિટીની કોલેજોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. દિલ્હી સરકારના સંપૂર્ણ ભંડોળ પર નભતી કોલેજોમાં શૈક્ષણિક અને બિન- શૈક્ષણિક કર્મચારીઓને પગાર ચૂકવવામાં સરકાર અસમર્થ છે.
દિલ્હી યુનિવર્સિટીઓ ભંડોળની કટોકટીનો અનુભવ કરી રહી છે તેમ છતાં AAP તેના શ્રેષ્ઠ શિક્ષણ મોડલ વિશે ગૌરવ વ્યક્ત કરે છે
નવેમ્બર 2021ના એક સમાચાર અહેવાલ મુજબ, દિલ્હી સરકાર દ્વારા ભંડોળ મેળવતી દિલ્હી યુનિવર્સિટીની 12 કોલેજો ભંડોળની કટોકટીનો અનુભવ કરી રહી છે કારણ કે તેમના ફાળવાયેલા ભંડોળમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
મહારાજા અગ્રસેન કૉલેજ સ્ટાફ એસોસિએશનના વડા અને તમામ 12 કૉલેજોના સંયોજક સુબોધ કુમારે આ પરિસ્થિતિને સમજાવતા કહ્યું કે, પ્રોફેસરો ઇચ્છે છે કે અધ્યાપન-શિક્ષણ પ્રક્રિયા ચાલુ રહે, પરંતુ રાજ્ય સરકાર તેને મંજૂરી આપી રહી નથી. શ્રી કુમારે તેને ‘અમાનવીય વર્તન’ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે “સરકારના હાથ આમળવાના વલણ સામે લડવા માટે શિક્ષકોને પ્રદર્શન કરવાના જ છે. આ મુદ્દાના પરિણામે શિક્ષકોને રાજીનામું આપવાની ફરજ પડી છે, એમ તેમણે દાવો કર્યો હતો.
આ ઉપરાંત, જ્યારે વ્યવસાયિક શિક્ષણની વાત આવે છે, જેના માટે દિલ્હી સરકારે પોતાને અગ્રદૂત તરીકે સ્થાન આપ્યું છે, પણ પરિસ્થિતિ ભયંકર છે.
બિધુરીએ જણાવ્યું હતું કે વ્યાવસાયિક સંસ્થાઓમાં શિક્ષકો અને પ્રશિક્ષકો તેમના પગાર માટે સંઘર્ષ કરી રહ્યા છે અને સરકાર તેમના પ્રત્યે બેદરકાર છે. કેટલાક અહેવાલો અનુસાર, 6 વર્ષ વીતી ગયા છતાં, દિલ્હીના વ્યાવસાયિક પ્રશિક્ષકોના પગારમાં વધારો થયો નથી.
દિલ્હીની સરકારી શાળાઓમાં 2015માં વ્યાવસાયિક પ્રશિક્ષકોની ભરતી કરવામાં આવી હતી, પરંતુ ત્યારથી તેમનો પગાર એટલો જ રહ્યો છે. 20 ઓક્ટોબર, 2019ના રોજ, દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ ત્યાગરાજ સ્ટેડિયમમાં વ્યાવસાયિક પ્રશિક્ષકોને વચન આપ્યું હતું કે તેમના પગારમાં શક્ય તેટલી વહેલી તકે વધારો કરવામાં આવશે, જોકે, 2022 ચાલી રહી છે, અને પગાર વધારવામાં આવ્યો નથી.
આવી જ સ્થિતિ શાળાઓ અને કોલેજોના અતિથિ શિક્ષકોની છે જેમને પગાર વધારાની ખાતરી આપવામાં આવી છે પરંતુ આજ સુધી કશું જ નક્કર થયું નથી.
દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે આ મુદ્દા પર દિલ્હી સરકારની ઝાટકણી કાઢી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ભંડોળ ઉપલબ્ધ ન હોવાની બાબત શિક્ષકોને પગાર ન ચૂકવવા માટેનું કારણ બની શકે નહીં. “શિક્ષકો દેશનું ભવિષ્ય ઘડે છે. તેમની સાથે આવો વ્યવહાર કેવી રીતે થઈ શકે?” એમ કોર્ટે સરકારને પૂછ્યું હતું.
ન્યાયાધીશ સુબ્રમણિયમ પ્રસાદની બેંચે પીડિત શિક્ષકોની ચિંતાઓની સુનાવણી કરી રહી હતી, જેમણે 6ઠ્ઠા અને 7મા કેન્દ્રીય પગાર પંચના કારણે તેમના પગારની લાંબા સમય સુધી ચૂકવણી નહિ થવા અંગે અનેક અવમાનના અરજીઓ દાખલ કરી હતી.
ન્યાયમૂર્તિ પ્રસાદે નોંધ કરી હતી કે “તમારું વર્તન શિક્ષકોને પગાર ચૂકવવામાં સંપૂર્ણ અવગણનાયુક્ત છે. તેમને મુકદ્દમા દાખલ કરવાની ફરજ પાડવામાં આવે છે, પછી તેમને સુપ્રીમ કોર્ટમાં ખેંચવામાં આવે છે, પછી અનાદર, આવું ચાલુ રહે છે.”
“મારે ‘અમે અમલ કરી રહ્યા છીએ’ નથી જોઈતું, મને ‘અમે અમલ કર્યો છે’ જોઈએ છે,” ન્યાયમૂર્તિએ કડક અવાજમાં સરકાર તરફથી ખાતરી માંગી હતી.
કોવિડ-19ને કારણે ઘરોમાં આર્થિક સંકટ વચ્ચે, દિલ્હી કોલેજના શિક્ષકોને તેમના પગારની ચૂકવણી ન થવાથી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જ્યારે 2021માં દિવાળીના મહિનાઓ પહેલાના તેમના લેણાં પણ મંજૂર કરવામાં આવ્યા ન હતા. DUTAની આગેવાની હેઠળ શિક્ષકો 2021ની શરૂઆતથી પગાર અને અન્ય લેણાંની ચૂકવણી નહિ થવા સામે વિરોધ કરી રહ્યા છે.
દિલ્હીમાં શાળાના ઉનાળાના વેકેશનનો પ્રારંભ થવા સાથે, આશરે 22,000 અતિથિ શિક્ષકોની સેવાઓ રજાઓના સમયગાળા માટે બંધ કરવામાં આવી છે, જે વાર્ષિક એક પ્રથા છે જેનો ગેસ્ટ ટીચર્સ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
અતિથિ શિક્ષકોને દર વર્ષે બે મહિના બેરોજગાર રાખવા યોગ્ય નથી. તેમના મોટાભાગના પરિવારો આ નોકરીમાંથી થતી આવક પર નિર્ભર છે. પાંચ વર્ષથી તેમના પગારમાં વધારો કરવામાં આવ્યો નથી અને તે દરમિયાન સમગ્ર દેશ મોંઘવારીમાં સંઘર્ષ કરી રહ્યો છે. ઘણા અતિથિ શિક્ષકોને લોનો અને EMI ચૂકવવાની હોય છે, તેથી તેમને બે મહિના માટે બેરોજગાર રાખવા યોગ્ય નથી,” એમ ઓલ ઈન્ડિયા ગેસ્ટ ટીચર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી. શોએબ રાણાએ કહ્યું હતું. (ઇન્ડિયન એક્સપ્રેસ)
દિલ્હી હાઈકોર્ટે સોમવારે દિલ્હી સરકાર પાસેથી તેની શાળાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ખામીઓને ઉજાગર કરતી જાહેર હિતની અરજી પર જવાબ માંગ્યો હતો અને આચાર્યો, શિક્ષકો અને અન્ય સ્ટાફની ખાલી જગ્યાઓ ભરવાના આદેશા આપવા જણાવ્યું હતું.
કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ વિપિન સાંઘીના વડપણ હેઠળની બેન્ચે શ્રી સાલેક ચંદ જૈનની અરજી પર નોટિસ જારી કરી હતી અને શહેર સરકારને હાલની ખાલી જગ્યાઓની વર્તમાન સ્થિતિ તેમજ તેના નિરાકરણ માટે લીધેલા પગલાઓ અને તેમને ભરવાની સમયરેખા વિશે જણાવતું સોગંદનામું દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.
ન્યાયાધીશ સચિન દત્તાની બનેલી બેન્ચે પણ સરકારને તેની શાળાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ખામીઓ અને તેને કેવી રીતે ઉકેલવા તે વિચારે છે તે જણાવવા માટે જણાવ્યું હતું.
અરજદારે જણાવ્યું હતું કે “દિલ્હી સરકાર દ્વારા સંચાલિત દિલ્હીમાં 1027 સરકારી શાળાઓમાં શિક્ષકોની 45,503 જગ્યાઓ ખાલી છે” અને તેમાંથી ઘણી શાળાઓ પાસે સારી રીતે સજ્જ કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, લાઇબ્રેરી, વગેરે નથી.
વકીલ જે.કે.ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે ફેકલ્ટીના અભાવને કારણે, તેના વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકતા નથી અથવા અન્ય વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરી શકતા નથી અને દિલ્હી સરકારે તેની શાળાઓમાં અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવા માટે કંઈ કર્યું નથી.
અરજીમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું હતું કે સરકારી શાળાઓમાં મોટાભાગના વિદ્યાર્થીઓ નિમ્ન મધ્યમ વર્ગના અને ગરીબ પરિવારોના છે જેમને ખાનગી ટ્યુશન પરવડી શકે એમ નથી અને “શિક્ષણ સ્ટાફની અછતને કારણે પ્રતિવાદીઓ (દિલ્હી સરકાર) ગરીબ વિદ્યાર્થીઓની જિંદગી અને સમૃદ્ધિ અને ભવિષ્ય સાથે રમત કરી રહ્યા છે.”
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, “તે એક મોટી મજાક છે કે એક તરફ ઉપર જણાવ્યા મુજબ શિક્ષકોની મોટી અછત છે અને બીજી તરફ, દિલ્હી સરકાર સંયુક્ત રાષ્ટ્રમાં શિક્ષણનું મોડેલ મૂકી રહી છે.”
“શિક્ષકો વિના, સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ તેમના શિક્ષણના મૂળભૂત અધિકારોથી વંચિત છે, તેથી વર્તમાન અરજી ભારતના બંધારણની કલમ 226 હેઠળ દાખલ કરવામાં આવી છે,” એમ તેમાં જણાવવામાં આવ્યું હતું. આ મામલાની વધુ સુનાવણી 9 નવેમ્બરે થશે.
એક ચોંકાવનારા ઘટસ્ફોટમાં, નેશનલ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ NCPCR એ દાવો કર્યો છે કે 1027માંથી ઓછામાં ઓછી 824 અથવા 80 ટકા દિલ્હી સરકારી શાળાઓ આચાર્ય વિના કાર્યરત છે.
તેથી હવે અમે દિલ્હીની સરકારી શાળાઓ અને કોલેજોમાં શિક્ષકોની સ્થિતિ સ્થાપિત કરીએ છીએ. બીજી મુખ્ય બાબત કે જેને આપણે હવે તપાસવાની જરૂર છે તે એ છે કે આ નાણાં ક્યાં જઈ રહ્યા છે.
દિલ્હી ભાજપના પ્રવક્તા હરીશ ખુરાનાએ જણાવ્યું હતું કે, “12,748 વર્ગખંડો નિર્માણાધીન છે, જેના પર કેજરીવાલ સરકાર ₹2,892 કરોડનો ખર્ચ કરી રહી છે , જ્યારે આનો વર્તમાન બજાર ખર્ચ ₹892 કરોડ હોવો જોઈએ. સરકાર વર્ગખંડ દીઠ ₹25 લાખનો ખર્ચ કરી રહી છે જ્યારે બાંધકામનો ખર્ચ લગભગ ₹3-5 લાખ હોવો જોઈએ. સરકાર આ કામ માટે ₹2,000 કરોડ વધુ ચૂકવશે, જે ₹892 કરોડમાં થઈ શક્યું હોત .”
ગુજરાત સરકારે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં નવા ઓરડાઓ બનાવવા માટે સઘન ઝુંબેશ શરૂ કરી છે. હાલમાં 2,500 ખંડો પર કામ ચાલી રહ્યું છે અને આવતા વર્ષે 10,000 નવા ખંડો બનાવવાનું લક્ષ્ય છે. આ માટે શિક્ષણ વિભાગની રૂ. 34,884 કરોડની રકમમાંથી રૂ. 937 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, એમ મંત્રીએ જાહેરાત કરી હતી.
જો તમે દિલ્હીના 12,000 વર્ગખંડો માટે 2,892 કરોડ અને ગુજરાતના 10,000 નવા વર્ગખંડો માટે 937 કરોડ વચ્ચેનો તફાવત જોશો તો આપણે જોઈ શકીએ છીએ કે નાણાં ક્યાં જઈ રહ્યા છે. અને જેઓ ગુજરાતમાં રહે છે તેઓ જાણે છે કે સરકારી શાળાઓ સુંદર અને વિશ્વ કક્ષાની છે.
એક અહેવાલ કહે છે કે, મોટાભાગના સ્વતંત્ર નિરીક્ષકો સહમત છે કે દિલ્હીની 20-25 સરકારી શાળાઓ કેટલીક સારી ખાનગી શાળાઓ સાથે તુલના કરી શકે છે.
પંજાબમાં ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ‘અત્યાધુનિક’ ટેક્નોલોજીવાળા સ્માર્ટ ક્લાસરૂમના ફોટોગ્રાફ્સ સાથે આખા પાનાની જાહેરાતો બહાર પાડી હતી. તેમણે 12,430 મોડેલ વર્ગખંડોનું ‘ઉદઘાટન’ કર્યાનો દાવો કર્યો હતો અને તેમની લાક્ષણિક નમ્રતા સાથે દાવો કર્યો હતો કે તેઓ 250 શાળાઓ ખોલવા સમાન છે.
નવા વર્ગખંડો વિશે વાત કરતા, દિલ્હી વિધાનસભામાં ભાજપના નેતા વિજેન્દર ગુપ્તાએ કહ્યું હતું કે, “આ માત્ર કોસ્મેટિક ફેરફારો છે. આ વર્ગખંડો અધિગ્રહણ વિના, મંજૂરી વિના, નકશા પસાર કર્યા વિના અને અત્યંત મોંઘી કિંમતે બનાવવામાં આવ્યા છે. હું માનું છું કે આ વર્ગખંડો માત્ર ચૂંટણી માટે ભંડોળ એકત્ર કરવા માટે બનાવવામાં આવ્યા છે. આમાંના ઘણા રૂમને તાળાં છે અને માત્ર શો પીસ છે.”
શાળામાં ફક્ત વર્ગખંડો ઉમેરીને તમે નવી શાળાઓ ખોલવાના સમકક્ષ ન કહી શકો, કારણ કે વર્ગખંડો માટે મોટા પુસ્તકાલયો, મોટી પ્રયોગશાળાઓ, વધુ શૌચાલયો અને મોટા એસેમ્બલી હોલની જરૂર પડશે. માત્ર વર્ગખંડો ઉમેરવાથી કંઇ ન થઈ શકે. શિક્ષકની જગ્યા ખાલી પડી છે. આચાર્યો ત્યાં નથી.
AAP મત મેળવવા માટે જાહેરાતો અને જૂઠ્ઠાણા મિશ્રિત પ્રલોભનોનો ઉપયોગ કરે છે. આવું એક ઉદાહરણ નીચે છે.
એક ટ્વીટમાં, કાલ્કાજીના ધારાસભ્ય આતિશીએ કહ્યું હતું કે: “ કાલ્કાજીમાં અમારી એક શાળામાં કેરળના અધિકારીઓનું આયોજન કરવું અદ્ભુત હતું. તેઓ અમારા શિક્ષણ મોડલને સમજવા અને તેમના રાજ્યમાં તેનો અમલ કરવા ઉત્સુક હતા. આ છે @ ArvindKejriwal સરકારનો રાષ્ટ્ર નિર્માણનો વિચાર. સહયોગ દ્વારા વિકાસ.”
બીજા દિવસે આતિશીના ટ્વીટને ટાંકીને, કેરળના શિક્ષણ અને શ્રમ મંત્રી શિવનકુટ્ટીએ કહ્યું કે: “કેરળના શિક્ષણ વિભાગે ‘દિલ્હી મોડલ’ વિશે જાણવા માટે કોઈને મોકલ્યા નથી. આ સાથે, ગયા મહિને ‘કેરળ મોડલ’નો અભ્યાસ કરવા માટે દિલ્હીથી મુલાકાત લેનારા અધિકારીઓને તમામ સહાય પૂરી પાડવામાં આવી હતી . અમે જાણવા માંગીએ છીએ કે AAP ધારાસભ્ય દ્વારા કયા ‘અધિકારીઓ’નું સ્વાગત કરવામાં આવ્યું હતું.”
શહેરીકૃત દિલ્હીમાં પણ ડ્રોપઆઉટ રેટ 20% થી વધુ
નોંધનીય છે કે ઉત્તર-પૂર્વ અને પૂર્વીય પ્રદેશોના મોટાભાગનાં રાજ્યોમાં ડ્રોપઆઉટનો દર ઘણો ઊંચો છે, ત્યારે શહેરીકૃત દિલ્હીમાં ડ્રોપઆઉટ દર 20% કરતાં વધુ છે. પંજાબ (સૌથી ઓછો 1.5% ડ્રોપઆઉટ રેટ) સાથે, 10% કરતા ઓછા ડ્રોપઆઉટ દર ધરાવતા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચંદીગઢ (9.5%), કેરળ (8%), મણિપુર (9.6%), તમિલનાડુ (9.6%) અને ઉત્તરાખંડ છે. (9.8%) છે.
આ વર્ષે ધોરણ 10ની સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની પરીક્ષામાં દિલ્હીમાં પાસ ટકાવારી 86.55 ટકા નોંધાઈ છે, જે 2021માં નોંધાયેલી 98.19 ટકાથી તીવ્ર ઘટાડો છે, સત્તાવાર આંકડા અનુસાર, 2019માં દિલ્હીની પાસ ટકાવારી 85.86 ટકા હતી અને 2018માં 80.97 ટકા હતી.
કેજરીવાલે તેમના પ્રથમ ચૂંટણી ઢંઢેરામાં 20 નવી કોલેજો સ્થાપવાનું વચન આપ્યું હતું પરંતુ એક પણ નવી કોલેજ સ્થાપી શક્યા નહોતા, તેમણે વચન આપ્યું હતું કે તે 500 નવી શાળાઓ શરૂ કરશે. પરંતુ જમીન ઉપલબ્ધ હોવા છતાં તેઓ તેના અસ્તિત્વના સાત વર્ષમાં માત્ર સાત શાળાઓ જ શરૂ કરી શક્યા છે.
“દિલ્હી સરકાર હેઠળની 12 કોલેજો પહેલાથી જ શિક્ષકો અને કર્મચારીઓના પગાર ચૂકવવા માટે પણ ભંડોળની અછત ધરાવે છે કારણ કે દિલ્હીના નાણા પ્રધાન મનીષ સિસોદિયા, જે શિક્ષણ પ્રધાન પણ છે, આ કોલેજોને ભંડોળ ફાળવણી અટકાવી રહ્યા છે.”
પરંતુ મુખ્યમંત્રી અને AAP સરકાર, જે તેના બજેટની અસાધારણ ટકાવારી શિક્ષણ પર ખર્ચ કરી રહી હોવાનો દાવો કરે છે, તેના પર દિલ્હી રોજી રોટી અધિકાર દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે ભોજન એ શિક્ષણના અધિકારનો આવશ્યક ભાગ હોવાના સુપ્રીમ કોર્ટના આદેશ છતાં દિલ્હીની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના બંધ કરી દેવામાં આવી છે.
જો AAP સરકારનું એજ્યુકેશન મોડલ દાવા મુજબ એટલુ શાનદાર હતું, તો પછી મનીષ સિસોદિયા ગઇ વિધાનસભા ચૂંટણીમાં કેમ માંડ માંડ જીત્યા હતા.
નેશનલ પ્રેસિડેન્ટ ઓલ ઈન્ડિયા પેરેન્ટ્સ એસોસિએશન (AIPA)ના એડવોકેટ અશોક અગ્રવાલ કહે છે કે, શિક્ષણનું કહેવાતું ‘દિલ્હી મોડલ’ વાસ્તવમાં નોન-સ્ટાર્ટર (નિષ્ફળ) હતું કારણ કે તેણે 20 લાખથી વધુ બાળકોને નિસહાય હાલતમાં મૂકી દીધા છે, જેઓ કાં તો પછાત કે વંચિત વર્ગમાંથી ડ્રોપ આઉટ થયેલા હતા.
“તેઓ દિલ્હીની શાળાઓમાં જે પદ્ધતિનો પ્રચાર કરી રહ્યા છે તે તદ્દન ભેદભાવપૂર્ણ છે, કારણ કે એક તરફ તેમની પાસે શ્રેષ્ઠ શાળાઓ અને રાષ્ટ્રીય પ્રતિભા શાળાઓ છે જ્યાં તેઓ વિદ્યાર્થીઓને ભણાવવા માટે શ્રેષ્ઠ શિક્ષકો મેળવે છે; જ્યારે બાકીની શાળાઓમાં 50 ટકા જગ્યાઓ ખાલી છે. આ કલમ 14 અને 21ની વિરુદ્ધ પણ છે જે ભેદભાવ વિના બધાને શિક્ષણ સુનિશ્ચિત કરે છે,” એમ અગ્રવાલ કહે છે.
અગ્રવાલ એટલે સૌથી વધુ વ્યથિત છે કે દિલ્હીમાં ઘણી બધી વિવિધ પ્રકારની શાળા પ્રણાલીઓ ચલાવવામાં આવી રહી છે અને અનેક કમિશનોના દ્વારા ઠરાવ્યા મુજબ બાળકો માટે શ્રેષ્ઠતાનું કોઈ પ્રમાણભૂત સ્તર નથી, જેમાના એક કમિશનમાં તેઓ વડા હતા,
કોંગ્રેસના અજય માકનના જણાવ્યા અનુસાર, 2013-14માં સરકારી શાળાઓમાં ખાનગી શાળાઓની સરખામણીમાં 4.18 લાખ વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તેમણે પૂછ્યું કે શું એ સાચું નથી કે 2013 પહેલા સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી હતી પરંતુ કેજરીવાલ સરકારે સત્તા સંભાળી તે પછી, સરકારી શાળાઓમાંથી ખાનગી શાળાઓમાં હિજરત શરૂ થઈ.
તેમણે ડેટા જાહેર કર્યો કે 2013માં, “સરકારી શાળાઓમાં નોંધાયેલા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 17.75 લાખ હતી જ્યારે 2018-19માં આ સંખ્યા 16.47 હતી. વસ્તી વધારા છતાં આવું થયું. 2013માં, 13.57 લાખ વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાં નોંધાયા હતા જ્યારે 2019માં આ સંખ્યા વધીને 16.61 લાખ થઈ ગઈ છે,” એમ તેમણે જણાવ્યું હતું.
અજય માકન વધુમાં કહે છે કે, “શાળાની વિશ્વસનીયતા સામાન્ય રીતે બોર્ડની પરીક્ષામાં તેના પરિણામો દ્વારા નક્કી કરવામાં આવે છે. અહીં પણ દિલ્હી સરકાર ખરાબ રીતે નિષ્ફળ રહી છે.
તેમણે આ સંદર્ભમાં પણ ડેટા જાહેર કર્યો. “2013-14 પહેલા, દિલ્હીની સરકારી શાળાઓમાંથી 12માની બોર્ડની પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં દર વર્ષે સતત વધારો થતો હતો. AAP સત્તામાં આવ્યા પછી તરત જ વિપરીત વલણ શરૂ થયું. 2013-14માં દિલ્હીની સરકારી શાળાઓમાંથી કુલ 1,47,420 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. 2020માં આ સંખ્યા લગભગ સતત ઘટીને 1,09,098 (1.09 લાખ) પર આવી,” એમ તેમણે કહ્યું.
બારમા ધોરણના લાખો વિદ્યાર્થીઓ દિલ્હીમાંથી પાસ આઉટ થયા છે. આ વિદ્યાર્થીઓને સમગ્ર ભારતમાં અન્ય રાજ્યોમાં અને વિશ્વભરમાં પણ જવું પડે છે કારણ કે બેઠકોની સંખ્યા વધી નથી. વાલીઓ અને વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ માટે લાખો રૂપિયા ખર્ચવા પડે છે. કેજરીવાલે વારંવાર આ વિદ્યાર્થીઓ માટે કંઈ કર્યું નથી.
તેથી, તથ્યો અને આંકડાઓ પર કેજરીવાલ અને તેમના પ્રચારનો સામનો કરવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એક મોડેલ જ્યાં વધુ પડતો ખર્ચ, શિક્ષકો માટે પગાર ન હોય અથવા જાહેરાતો પર વધુ ખર્ચ થતો હોય તે ક્યારેય લોકાભિમુખ ન હોઈ શકે. કોસ્મેટિક ફેરફારો આવા વિશાળ શૈક્ષણિક બજેટ માટે જવાબદાર હોઈ શકે નહીં. જાહેરમાં ઉપલબ્ધ અનેક આરટીઆઈ કેજરીવાલ અને સિસોદિયાના દાવાઓને ખુલ્લા પાડે છે.
મત મેળવવા માટે લોકોને લલચાવવા કેવી રીતે જૂઠાણાનો ઉપયોગ કરવામાં આવે છે તે તમામ પાસાઓને આવરી લેવા માટે મેં મારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. આ એક ખતરનાક વલણ છે અને લોકોએ આ અંગે જાગૃત થવું જોઈએ.
🗃️ This story is from our archives and may contain outdated information.
Recent Stories
- Liquor Permit Scam at Ahmedabad Civil Hospital; 4 Outsourced Staff Dismissed, Clerk Suspended
- Centre Increases Commercial LPG Supply by 20%; Priority to Hotels, Restaurants, Subsidised Canteens
- Land Acquisition Process Begins for Kanalus - Okha Railway Line Doubling
- Relief for Gujarat Fishermen as Centre Rolls Back Diesel Price Hike
- NTPC Adds 165 MW Solar Capacity at Khavda Project in Gujarat; Total Capacity Reaches 9,727 MW
