શું આમ આદમી પાર્ટીને ગુજરાતમાં દારુબંધી પચતી નથી?
September 22, 2022
વેરાવળઃ આમ આદમી પાર્ટીને ગુજરાતમાં દારુબંધી નડતરરૂપ લાગતી હોય એવું લાગે છે. સૌરાષ્ટ્રમાં આપ-ના એક નેતાનો પ્રવચન કરતો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે એવું કહેતા સાંભળવા મળે છે કે, આખી દુનિયામાં માત્ર ગુજરાતના સાડા છ કરોડ લોકો માટે જ દારુબંધી છે. દુનિયાના 196 દેશોમાં 800 કરોડની વસ્તી છે, ભારતમાં 130 કરોડની વસ્તી છે, એ બધા દારૂ પીવે છે પરંતુ સાડા છ કરોડની વસ્તી ધરાવતા ગુજરાતમાં જ માત્ર દારૂબંદી છે. એનો અર્થ એ છે કે દારૂ ખરાબ વસ્તુ નથી.
गुजरात के छह करोड़ लोगो के लिए शराब बंद है। लेकिन 196 देशों में शराब बंद नहीं है, भारत में करोड़ों की आबादी के लिये शराब बंद नहीं है। यह बताता है कि शराब पीना ख़राब बात नहीं है : गुजरात के आम आदमी पार्टी नेता pic.twitter.com/kY2vggiMd2
— Anurag Chaddha (@AnuragChaddha) September 22, 2022
આમ આદમી પાર્ટીના આ નેતા કોઈ ગામડામાં જે મંચ પરથી બોલી રહ્યા છે ત્યાં આપ-ના વેરાવળના જાહેર થયેલા ઉમેદવાર જગમાલ વાળાનું નામ લખવામાં આવેલું છે. અને ત્યાંથી તેઓ ગુજરાતની દારૂબંદી વિરુદ્ધ આવાં નિવેદન કરી રહ્યા હોવાનું દેખાય છે.
AAP wants to open liquor shops in Gujarat too? https://t.co/GJq2zpWeSQ
— Vijay Patel🇮🇳 (@vijaygajera) September 22, 2022
આ વીડિયો અનુરાગ ચઢ્ઢા નામના એક પત્રકારે શૅર કર્યો છે. તેમના ટ્વિટને રિશૅર કરતાં વિજય પટેલે લખ્યું છે કે, શું આપ હવે ગુજરાતમાં પણ દારૂની દુકાનો ખોલવા માગે છે? લાગે છે કે વિજય પટેલનો ઈશારો દિલ્હીની હવે પાછી ખેંચી લેવામાં આવેલી શરાબ નીતિ તરફ લાગે છે જ્યાં દારૂના વેપારીઓને તેઓ ઇચ્છે તેટલો દારૂ, રાત્રે ત્રણ વાગ્યા સુધી વેચવાની કેજરીવાલ સરકારે પરવાનગી આપી હતી જેને પગલે ભારે વિવાદ થતાં એ નવી એક્સાઇઝ નીતિ પાછી ખેંચવાની દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારને ફરજ પડી હતી.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- ગાંધીનગરમાં જરૂરતમંદ ભૂખ્યા લોકોને ૨૦ રૂપિયામાં મળશે ભરપેટ ભોજન
- અનંત પ્રસ્થાન પર સ્વામી સ્મરણાનંદ
- “શ્રીરામ મંદિર : સાંસ્કૃતિક રાષ્ટ્રીયત્વનો સુવર્ણકાળ” ગ્રંથનું વિમોચન
- એસ્સાર ફોઉન્ડેશન દ્વારા દ્વારિકા જતા પદયાત્રીઓ માટે દ્વારિકા પદયાત્રા સેવા કેમ્પનું આયોજન
- ગુજરાતમાં 4,94,49,469 મતદારો, 18-19 વર્ષના 11,32,880 મતદારો, 10,322 મતદારો શતાયુ મતદારો
- સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સુવિધાથી વંચિત ૩૮ ગામોને નર્મદાનું પાણી આપવા રૂ. ૩૪૮ કરોડની યોજના મંજૂર
- ગુજરાત સરકારે ‘ગુજરાત ખરીદ નીતિ-૨૦૨૪’ જાહેર કરી