પોરબંદર-છાયા નગરપાલિકાને 13 આધુનિક નવી સિટી બસની ભેટ આપતી રાજ્ય સરકાર
October 02, 2022
પોરબંદરઃ ગાંધીજીની જન્મ જયંતીના અવસરે શ્રદ્ધાસુમન અર્પણ કરવા પહોંચેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોરબંદરના શહેરીજનોને યાતાયાતની સુવિધા માટે સીટી બસ સેવાની ભેટ આપી છે. મુખ્યમંત્રીશ્રીએ શહેરના શીતલા ચોક ખાતેથી ૧૩ નવી સીએનજી બસને લીલીઝંડી આપી આ પરિવહન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના હેઠળ પોરબંદર-છાયા નગરપાલિકા વિસ્તારના લોકોને આંતરિક પરિવહન માટે ૧૩ નવી બસની સેવા મળી રહેશે. આ બસો સીએનજી હોવાથી પર્યાવરણ સામેના પ્રદૂષણથી પણ બચી શકાશે.
આ નવી ૧૩ સીએનજી બસ શહેરના મુખ્યમાર્ગોના જુદા જુદા રૂટ તેમજ હેરિટેજ સ્થળો ઉપર પહોંચવા માટે પરિવહનની સેવા પૂરી પાડશે. પોરબંદર ગાંધી – સુદામા નગરી તરીકે જાણીતું હોવાથી તેમજ તેના પૌરાણિક મહત્વના લીધે પ્રવાસીઓ પણ ધસારો રહેતો હોય છે ત્યારે આ સુવિધા સામાન્ય લોકોની સાથે પ્રવાસીઓને પણ એક પરિવહનની સુવિધા મળી રહેશે.
આ ૧૩ નવી બસમાં સીસીટીવી કેમેરા, એલઈડી સ્ક્રીન ડિસ્પ્લે તથા એનાઉન્સમેન્ટ સિસ્ટમ સાથે જીપીએસ લોકેશન સહિતની અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. ત્યારે પોરબંદર છાયા વિસ્તારના આંતરિક યાતાયાતનો એક નવો અનુભવ થશે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- આજે ગુજરાત
- “શ્રીરામ મંદિર : સાંસ્કૃતિક રાષ્ટ્રીયત્વનો સુવર્ણકાળ” ગ્રંથનું વિમોચન
- એસ્સાર ફોઉન્ડેશન દ્વારા દ્વારિકા જતા પદયાત્રીઓ માટે દ્વારિકા પદયાત્રા સેવા કેમ્પનું આયોજન
- ગુજરાતમાં 4,94,49,469 મતદારો, 18-19 વર્ષના 11,32,880 મતદારો, 10,322 મતદારો શતાયુ મતદારો
- સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સુવિધાથી વંચિત ૩૮ ગામોને નર્મદાનું પાણી આપવા રૂ. ૩૪૮ કરોડની યોજના મંજૂર
- ગુજરાત સરકારે ‘ગુજરાત ખરીદ નીતિ-૨૦૨૪’ જાહેર કરી
- હોળી-ધૂળેટી તહેવારમાં એસટી બસની હજારો વધારાની ટ્રીપ સંચાલિત કરવનું આયોજન