જામનગર જિલ્લામાં 176 કરોડના ખર્ચે તૈયાર થયેલા સોલાર પાવર પ્લાન્ટનું વડાપ્રધાન લોકાર્પણ કરશે
October 07, 2022
– ગ્રીન એનર્જી ક્ષેત્રે પણ અગ્રેસર ગુજરાત
– વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 10 ઓક્ટોબરે જામનગરની મુલાકાતે
– જિલ્લાના હરીપર ગામે નિર્મિત સોલાર પાવર પ્લાન્ટનું કરશે લોકાર્પણ
– સોલાર પ્લાન્ટથી પ્રતિ વર્ષ 105 મિલિયન યુનિટથી વધુનું થશે વીજ ઉત્પાદન
જામનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 9થી 11 ઑક્ટોબર દરમિયાન ગુજરાતમાં અનેકવિધ વિકાસ યોજનાઓના લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ દરમિયાન 10મી ઓક્ટોબરને સોમવારે જામનગરના હરીપર ગામ ખાતે મેગા સોલાર પાવર પ્લાન્ટનું લોકાર્પણ કરશે.
PM Narendrabhai Modi to dedicate a mega solar power plant in Jamnagar https://t.co/NXi8RyxA5w pic.twitter.com/9dbO3ZSJaN
— DeshGujarat (@DeshGujarat) October 7, 2022
રુપિયા 176 કરોડથી વધુના ખર્ચે નિર્મિત આ 40 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટ માત્ર 3 મહિનાના ટૂંકા ગાળામાં અમલમાં મૂકવામાં આવ્યો છે અને આ પ્લાન્ટ એ વાતની સાબિતી છે કે દેશનાં અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત ગ્રીન એનર્જી ક્ષેત્રે પણ અગ્રેસર થઈ રહ્યું છે.
GSECL દ્વારા હરીપર ગામની સરકારી ખરાબાની પથરાળ જમીન પર આ ફોટોવોલ્ટીક ગ્રીડ કનેક્ટેડ સોલાર પ્લાન્ટથી દર વર્ષે 105 મિલિયન યુનિટથી વધુ વીજ ઉત્પાદન થશે. સાથે જ 84 મેટ્રીક ટનથી વધુ કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં પણ ઘટાડો પણ થશે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- ગાંધીનગરમાં જરૂરતમંદ ભૂખ્યા લોકોને ૨૦ રૂપિયામાં મળશે ભરપેટ ભોજન
- અનંત પ્રસ્થાન પર સ્વામી સ્મરણાનંદ
- “શ્રીરામ મંદિર : સાંસ્કૃતિક રાષ્ટ્રીયત્વનો સુવર્ણકાળ” ગ્રંથનું વિમોચન
- એસ્સાર ફોઉન્ડેશન દ્વારા દ્વારિકા જતા પદયાત્રીઓ માટે દ્વારિકા પદયાત્રા સેવા કેમ્પનું આયોજન
- ગુજરાતમાં 4,94,49,469 મતદારો, 18-19 વર્ષના 11,32,880 મતદારો, 10,322 મતદારો શતાયુ મતદારો
- સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સુવિધાથી વંચિત ૩૮ ગામોને નર્મદાનું પાણી આપવા રૂ. ૩૪૮ કરોડની યોજના મંજૂર
- ગુજરાત સરકારે ‘ગુજરાત ખરીદ નીતિ-૨૦૨૪’ જાહેર કરી