વિદ્યાપીઠમાં સ્વચ્છતા અભિયાન, દીપ પ્રાગટ્ય સાથે દીપાવલીની શુભકામના પાઠવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
October 23, 2022
અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે દીપાવલીના પાવન પર્વે ગૂજરાત વિદ્યાપીઠ પહોંચીને, સ્વચ્છતા અભિયાન અને મંગલદીપ પ્રાગટ્ય કરી વૈદિક મંત્રોચ્ચાર દ્વારા સર્વ કલ્યાણની ભાવના વ્યક્ત કરી હતી અને સૌને દીપાવલી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા. તેઓ હંમેશાં કહેતા કે સ્વચ્છતામાં પ્રભુતાનો વાસ હોય છે. આથી જ મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત અને તેઓ જે સંસ્થાના આજીવન કુલપતિ રહ્યા તે ગૂજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતા અભિયાન સાથે સૌને દીપાવલી પર્વની શુભકામનાઓ પાઠવીને તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. રાજ્યપાલશ્રી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીએ ગુજરાત વિદ્યાપીઠ ખાતે દીપાવલીના પાવન પર્વે વૈદિક મંત્રોચ્ચાર સાથે દીપ પ્રાગટ્ય કરી સર્વ કલ્યાણની મંગલ શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગ્રામોદય ક્ષેત્રે થઈ રહેલાં કાર્યો અંગે વિદ્યાપીઠના કુલ નાયક ડો. રાજેન્દ્ર ખીમાણી સાથે રાજ્યપાલશ્રીએ વિચાર વિમર્શ કર્યો હતો. ખાસ કરીને પ્રાકૃતિક કૃષિ અને ખેડૂતોના વિકાસ માટે થઈ રહેલાં કાર્યોની માહિતી મેળવી હતી. ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત વિવિધ કેન્દ્રોમાં થઈ રહેલા ગૌપાલન, દેશી બીજના સંરક્ષણ, જળ સંચય અને શિક્ષણ કાર્યોની પણ તેમણે માહિતી મેળવી હતી.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- ગાંધીનગરમાં જરૂરતમંદ ભૂખ્યા લોકોને ૨૦ રૂપિયામાં મળશે ભરપેટ ભોજન
- અનંત પ્રસ્થાન પર સ્વામી સ્મરણાનંદ
- “શ્રીરામ મંદિર : સાંસ્કૃતિક રાષ્ટ્રીયત્વનો સુવર્ણકાળ” ગ્રંથનું વિમોચન
- એસ્સાર ફોઉન્ડેશન દ્વારા દ્વારિકા જતા પદયાત્રીઓ માટે દ્વારિકા પદયાત્રા સેવા કેમ્પનું આયોજન
- ગુજરાતમાં 4,94,49,469 મતદારો, 18-19 વર્ષના 11,32,880 મતદારો, 10,322 મતદારો શતાયુ મતદારો
- સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સુવિધાથી વંચિત ૩૮ ગામોને નર્મદાનું પાણી આપવા રૂ. ૩૪૮ કરોડની યોજના મંજૂર
- ગુજરાત સરકારે ‘ગુજરાત ખરીદ નીતિ-૨૦૨૪’ જાહેર કરી