આપ ઉમેદવારે ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું, કહ્યું લોકો દેશ વિરોધી અને ગુજરાત વિરોધી કહેતા હતા
November 16, 2022
સુરતઃ આમ આદમી પાર્ટીના સુરત પૂર્વ બેઠકના ઉમેદવાર કંચન જરીવાલાએ પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું છે. તેમણે એક વિડિયો નિવેદનમાં કહ્યું કે આપમાંથી ઉમેદવારીને લઇને લોકો તેમને દેશ વિરોધી અને ગુજરાત વિરોધી કહેતા હતા તથા સમર્થન આપવાનો ઇનકાર કરતા હતા તેથી તેમણે કોઇ લોભ લાલચ કે દબાણ વગર ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું છે.
I filed nomination for Surat East seat and started campaign. During campaign, people in my area would time and again tell me that you are anti-national and anti-Gujarat, and because of the party you have chosen, we are not going to support you: AAP Surat leader Kanchan Jariwala pic.twitter.com/RNfJKeit7o
— DeshGujarat (@DeshGujarat) November 16, 2022
સુરત પૂર્વ વિધાનસભા માટે આપમાંથી ઉમેદવારી નોંધાવીને પ્રચાર કાર્ય શરુ કર્યું હતું. મારા પ્રચાર દરમિયાન મારા વિસ્તારના લોકો વારંવાર મને કહેતા હતા કે તમે દેશ વિરોધી અને ગુજરાત વિરોધી છો અને તમે જે પક્ષ પસંદ કર્યો છે તેના કારણે અમે તમને સમર્થન નહીં આપીએ. મારા વિસ્તારનો લોકોના આવા પ્રતિભાવને કારણે મારો અંતરઆત્મા કકળી ઉઠયો હતો અને મારા અંતરાત્માના અવાજને સાંભળીને મેં નક્કી કર્યું છે કે હું આવા દેશ વિરોધી અને ગુજરાત વિરોધી પક્ષમાંથી ઉમેદવારી નહીં કરું. મેં આબેઠક પરથી મારું ઉમેદવારી પત્ર કોઇપણ દબાણ કે લાલચ વગર પાછું ખેચ્યું છે
તાજેતર ના લેખો
- આજે ગુજરાત
- “શ્રીરામ મંદિર : સાંસ્કૃતિક રાષ્ટ્રીયત્વનો સુવર્ણકાળ” ગ્રંથનું વિમોચન
- એસ્સાર ફોઉન્ડેશન દ્વારા દ્વારિકા જતા પદયાત્રીઓ માટે દ્વારિકા પદયાત્રા સેવા કેમ્પનું આયોજન
- ગુજરાતમાં 4,94,49,469 મતદારો, 18-19 વર્ષના 11,32,880 મતદારો, 10,322 મતદારો શતાયુ મતદારો
- સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સુવિધાથી વંચિત ૩૮ ગામોને નર્મદાનું પાણી આપવા રૂ. ૩૪૮ કરોડની યોજના મંજૂર
- ગુજરાત સરકારે ‘ગુજરાત ખરીદ નીતિ-૨૦૨૪’ જાહેર કરી
- હોળી-ધૂળેટી તહેવારમાં એસટી બસની હજારો વધારાની ટ્રીપ સંચાલિત કરવનું આયોજન